Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

નડિયાદ તાલુકાના કમળામાં અગાઉ પત્ની સાથે છૂટાછેડા મામલે ઝઘડો: એકને ધારિયું મારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ

નડિયાદ: તાલુકાના કમળા ગામમાં આવેલ રણછોડ ફાર્મમાં રહેતાં અશોકભાઈ રણછોડભાઈ તળપદાનો પુત્ર વિશાલના આજથી છ માસ અગાઉ તેની પત્ની સાથે છુટાછેડા થયાં હતાં. જો કે વિશાલને આ છુટાછેડા લેવા ન હતાં. જેથી તે છુટાછેડા લેવા માટે સમાજના માણસ તરીકે સાક્ષીમાં હાજર રહેનાર ઈશ્વરભાઈ તળપદા (રહે.યોગીનગર,તા.નડિયાદ) અને તેમના પરિવારજનો પર રીસ રાખતો હતો. અને આવતા-જતાં રસ્તામાં મળતાં ગમેતેમ અપશબ્દો બોલતો હતો.

ઈશ્વરભાઈ તળપદા અને તેમનો પુત્ર દિલીપભાઈ ગતરોજ સાંજના સમયે કમળામાં આવેલ ડાયસ્ટફ ફેક્ટરીમાં ઘાસ લેવા માટે ગયાં હતાં. ત્યારે વિશાલભાઈ અશોકભાઈ તળપદા હાથમાં ધારીયું લઈ એકાએક ત્યાં આવી પહોચી ઈશ્વરભાઈ અને દિલિપભાઈને ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. અને ઉશ્કેરાઈ જઈ ધારીયાનું પુઠું દિલિપભાઈને મારી દેતાં ઈજાઓ થવા પામી હતી.

(5:49 pm IST)