Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉન પાલન:ગુરુવારે શબે બરાત તહેવારે તમામ મુસ્લિમ બિરાદરોને લોકડાઉનનું પાલન કરી ઘરે જ રહી ઈબાદત કરવા ટ્રસ્ટીઓની અપીલ

ઈબાદત કરી કોરોના નાબૂદ થાય તે માટે ખાસ દુઆ કરવા રાજપીપળા જામા મસ્જિદ અને કબ્રસ્તાન ના ટ્રસ્ટીઓનું આહવાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારત ભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે એપેડેમીક ડીસીઝ એકટ મુજબના કાયદાઓ પણ લગાવવામાં આવ્યા છે ઉપરાંત વધુ માણસો ભેગા ન થાય અને સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે દરેક જગ્યાએ ધારા 144 પણ લાગુ કરાઈ છે.
આગામી ૯ એપ્રિલ ૨૦૨૦ ગુરુવાર ની રાત્રે મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત આવી રહી છે જેને શબે બરાત તરીકે પણ ઓળખાય છે આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાજ અદા કરી અલ્લાહ ની ઈબાદત કરે છે અને રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના પરિજનોની કબર પાસે જઈ તેમની રૂહ માટે દુઆ કરે છે ઉપરાંત આ રાત્રે જીવનની પાછલા વર્ષ ની હિસાબ કિતાબની ડાયરી બન્ધ થાય છે અને નવી ડાયરી શરૂ થાય છે.
  ચાલુ વર્ષે કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે રાજપીપળાના જામા મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ શરીફખાન ગરાસિયા તેમજ કબ્રસ્તાનના પ્રમુખ હસનભાઈ તાઈ દ્વારા સમગ્ર મુસ્લિમ બિરાદરોને ઘરેજ રહી ઈબાદત કરવાની અપીલ કરી છે તેમજ આ મોટી ઈબાદતની રાત્રે કોરોના મહામારીનો અંત આવે તેવી દુઆ કરવા પણ ખાસ આહવાન કરાયું છે. ઉપરાંત મસ્જિદમાં તેમજ કબ્રસ્તાનમાં ન જઈ ઘરેથીજ પોતાના મરહુમોને ઈસાલે સવાબ કરે તેવી પણ આપીલ કરી છે. મસ્જિદ તેમજ કબ્રસ્તાનની બહાર લોકડાઉનનું પાલન કરવાની સૂચના આપતા બોર્ડ પણ લગાવાયા છે. અને લોકડાઉનના પાલનમાં પ્રશાશન અને પોલીસને તમામ મુસ્લિમ બિરાદરો પૂરતો સહકાર આપે તેવી પણ આપીલ કરી હતી.

(10:14 pm IST)