Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મહાવીર જયંતિમાં સ્ટે હોમનો મેસેજ:રાજપીપળા વાવડી રોડ પર જાગૃતિ મેસેજ આપતી રંગોળી મુકાઈ

રાજપીપળા સહિત સમગ્ર દેશમાં આજે જૈન સમાજ ના મહાવીર જયંતિ નો પર્વ હોય પરંતુ હાલમાં લોકડાઉન હોય પોતપોતાના ઘરમાં ઉજવણી કરી, પરંતુ જ્યારે આખુ વિશ્વ કોરોના મહામારી વચ્ચે ઝઝૂમતું હોય તેવા સમયે રાજપીપળા નજીકના વાવડી રોડ પર આવેલા 
સદગુરુ વીલા ખાતે જૈન ગ્રૂપના તેજલબેન સંદીપકુમાર શાહે મહાવીર જયંતિની શુભકામના સાથે લોકોને ઘરમાં રહેવા અને જીવન સુરક્ષિત રાખવાનો મેસેજ આપતી રંગોળી પુરી લોકોને જાગૃત કર્યા હતા....(તસવીર: ભરત શાહ,રાજપીપળા)

(5:48 pm IST)