Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પાટણના સાંતલપુર પાસે એસટી બસ ખાબકી :26થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

આજે પાટણના સાંતલપુર નજીક ફરીથી એક એસટી બસ ખાબકી હોવાની ઘટના બની છે. જેમાં 26થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે સાંતલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

  જાણવા મળ્યા મુજબ . યાત્રાધામ અંબાજી નજીક અમદાવાદના ચંડોળા ડેપોની એસ.ટી બસ 20 ફુટ જેટલાં ઊંડા ખાડામાં ઉતરી હતી. અંબાજીથી 11 કિલોમીટર દૂર રાણપુર ઘાટીમાં પહેલા એક અકસ્માત સર્જાયેલો ટેમ્પો માર્ગ પર પડેલો હતો.

(9:08 am IST)