Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

લીવ ઈન રિલેશનશિપ રહેવા માંગતી નથી: આલિયા ભટ્ટ

મુંબઈ:બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ રણબીર કપુર સાથેના લિંકઅપને લઈ ઘણી ચર્ચામાં છે. હાલમાં જ રણબીર કપુરે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે આલિયાને ડેટ કરી રહ્યો છે. જોકે રણબીરનુ કહેવુ છે કે આલિયા સાથેનો સંબંધ હજુ શરુ જ થયો છે. જેથી તેને થોડો સમય આપવો પડશે. એવામાં આલિયા ભટ્ટે પોતાના લગ્નને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયાએ જણાવ્યુ કે, તેનો ૩૦ વર્ષ પહેલા લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ સાથે જ આલિયાએ એ પણ જણાવ્યુ કે તે કદાચ લગ્ન કરીને પોતાના પ્રશંસકોને સરપ્રાઈઝ પણ આપી શકે છે. 

આલિયાએ જણાવ્યુ કે, તે બાળકો માટે લગ્ન કરવા માંગે છે. જેથી જ્યારે તેને એવુ લાગશે કે તેને બાળકો જોઈએ છે અને તે બાળકોને સંભાળી શકે તેમ છે તો તે લગ્ન કરી લેશે. આ સાથે જ આલિયા ભટ્ટે લીવ ઈન રિલેશનશિપ અંગે વાત કરતા જણાવ્યુ કે હું આવુ કંઈ કરવા માંગતી નથી. અભિનેત્રી આલિયા ભટ્ટે જણાવ્યુ કે, જો તેને કોઈની સાથે રહેવુ હશે તો તે લગ્ન કરી લેશે. પરંતુ તે લીવ ઈન રીલેશનશિપમાં રહેવા માટે તૈયાર નથી. મહત્વનુ છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપુર હાલ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગમાં વ્યસ્ત છે. એવુ પ્રથમ વખત બનશે કે બન્ને કલાકાર એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન જ તેમના વચ્ચેના સંબંધોની ચર્ચાએ જોર પક્ડયુ હતુ. 

(5:22 pm IST)