Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સલમાન-શાહરૂખના શોને ટક્કર આપવા આવી રહ્યો છે આમિર ખાનનો શો

મુંબઈ:સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે બોલીવુડનો ત્રીજો સુપરસ્ટાર આમિર ખાન પણ નાના પડદા પર પુનરાગમન કરી રહ્યો છે. સલમાન ખાન 16 સપ્ટેમ્બરથીબિગ બૉસ 12’ સાથે પરત ફરી રહ્યો છે. તો શાહરૂખ ખાન વર્ષનાં અંતમાં ટીવી શૉ ટેડ ટૉક્સ ઇન્ડિયાની બીજી સીઝન હૉસ્ટ કરવાનો છે. તો હવે આમિર ખાન પણ પોતાના સુપરહિટ શૉસત્યમેવ જયતેની ત્રીજી સીઝન સાથે નાના પડદે પરત ફરી રહ્યો છે. આમિરે શૉ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વખતેસત્યમેવ જયતેને બે ભાગોમાં રીલીઝ કરવામાં આવશે. શૉ માટે વખતે ટોટલ 11 એપિસોડનું શૂટ કરવામાં આવશે. શૉનો પહેલો ભાગ 2019નાં પહેલા ત્રિમાસિક એટલે કે માર્ચની વચ્ચે રીલીઝ કરવામાં આવશે, જેમાં શૉનાં 5 એપિસોડનું પ્રસારણ કરવામાં આવશે. શૉનાં બીજા ભાગને ઑક્ટોબર 2019માં રીલીઝ કરવામાં આવશે, જેમાં શૉનાં 6 એપિસોડનું પ્રસારણ કરવામાં આવશે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફિલ્મઠગ્સ ઑફ હિન્દોસ્તાનનાં પ્રમોશન બાદ આમિરસત્યમેવ જયતેની તૈયારીઓમાં જોડાશે. મુદ્દાઓમાં વખતે નેક્સ્ટ જનરેશન, ડિપ્રેશન અને બેરોજગારી જેવી ગંભીર સામાજિક સમસ્યાઓ પર વધારે ફોકસ કરવામાં આવશે.

(4:58 pm IST)