Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

શ્રીલંકન ક્રિકેટમાં ટોચના સ્તર સુધી ફેલાયેલો છે ભ્રષ્ટાચાર : રણતુંગા

વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાએ કહ્યું હતું કે શ્રીલંકન ક્રિકેટમાં ભ્રષ્ટાચાર ટોચ સુધી ફેલાયેલો છે. તેણે આઈસીસી પર પણ મેચ ફિકસીંગ રોકવામાં નિષ્ફળ રહ્યાનો આરોપ મૂકયો છે. રણતંુગા અત્યારે સરકારમાં પ્રધાન છે. તેણે કહ્યું હતું કે 'શ્રીલંકા ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અલ-જઝીરા દ્વારા રવિવારે દેખાડવામાં આવેલી ડોકયુમેન્ટરીમાં કરવામાં આવેલા દાવા કરતા પણ ઘણા મોટા સ્તરે ફેલાયેલો છે. આ તમામ આરોપોની તપાસ થવી જોઈએ, પરંતુ આ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યુ હશે. આ એક એવી વસ્તુ છે જે શ્રીલંકામાં ટોચના સ્તર સુધી પહોંચેલી છે.

(4:10 pm IST)