Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ન્યુઝીલેન્ડની ટૂરને લઇને સહાને રણજી મેચ સ્કીપ કરવા બીસીસીઆઇની સૂચના : ટેસ્ટમાં સમાવેશની સંભાવના

કલ્યાણી : ન્યુઝીલેન્ડ ટૂર માટે ભલે ટીમ ઇન્ડિયા ત્યાં પહોંચી ગઇ હોય પણ ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં વૃદ્ધિમાન સહાને રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની મેચ સ્કીપ કરવા જણાવ્યું છે. નવેમ્બરમાં બાંગલા દેશ સામેની ડે-નાઇટ ટેસ્ટ વચ્ચે હાથમાં ઇજા થતાં સહા ટીમમાંથી બહાર થયો હતો.

આ સંદર્ભે વાત કરતાં સહાના બંગાળ ટીમના કોચ અરૂણલાલે કહ્યું કે આવતા રવિવારેથી સહા મેચ માટે ઉપલબ્ધ નથી. મારા ખ્યાલથી બીસીસીઆઇએ તેને રરણજી મેચ ન રમવાનું કહ્યું હશે. તેનું ટીમમાં હોવું સારી વાત છે, પણ તેની ગેરહાજરીથી વધારે ફરક નથી પડતો કેમકે અમે વિનિંગ સાઇડ પર છીએ. આ માત્ર એક મેચની વાત છે એટલે વાંધો નથી ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયા પહેલી ટેસ્ટ મેચ ૨૧ ફેબ્રુઆરીથી રમશે અને એમાં સહાનો સમાવેશ કરવામાં આવી શકે છે.

(3:28 pm IST)