Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ફુટબોલ વર્લ્ડ કપ ૨૦૨૨ની રેસમાંથી ભારત બહાર

ઓમાન સામે પણ પરાજયઃ કવોલીફાયર રાઉન્ડમાં એક પણ મેચ જીતી ન શકયું

નવીદિલ્હીઃ તાજેતરમાં ભારતીય ફુટબોલ ટીમ ૨૦૨૨ ફિફા વર્લ્ડ કપમાં કવોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઓમાન સામેની કવોલિફાયર મેચમાં તેમણે ૦- ૧થી મેચ ગુમાવી હતી. ઓમાન માટે મોહસિન ઉલ ઘાસાનીએ ૩૩મી મિનિટમાં ગોલ કર્યો હતો. બીજીવાર ઓમાને ભારતને કવોલિફાયરમાં હરાવ્યું છે. અગાઉ ગુવાહાટીમાં પણ ભારતે ૧- ૨થી હારનો સામનો કર્યો હતો.

કવોલિફાયરની પાંચ મેચોમાંથી ભારત એકપણ મેચ જીત્યું નહોતું. ૩ મેચ ડ્રો થઈ હતી અને બે મેચમાં તેમણે હારનો સામનો કરવો પડયો છે. ભારત પાંચ મેચમાં માત્ર ૩ પોઈન્ટ સાથે ગ્રુપ- ઈમાં ચોથા સ્થાને છે. એશિયન ચેમ્પિયન કતાર પાંચ મેચમાં ૧૩ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જયારે ઓમાન ૧૨ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ઓમાનથી ૯ અંક પાછળ છે અને હજી તેને ત્રણ મેચ રમવાની છે. જો ભારતએ ત્રણેય મેચ જીતે તો પણ ઓમાનની બરોબરી જ કરશે. આથી તેઓ ત્રીજા રાઉન્ડમાં પહોંચે એવી સંભાવના નહીંવત છે. ૨૦૨૩ના એશિયન કપ કવોલિફાયરમાં ભારતની આશા હજી પણ જીવંત છે.

(3:36 pm IST)