Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જામખંભાળિયામાં અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર : બેડ ગામમાં પાણી ઘુસ્યા : પુલનું ધોવાણ

જામખંભાળીયામાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નદીઓમાં ઘોડા પુર આવ્યા છે. જેનાં કારણે અનેક ગામો સાથે વાહન વ્યવહાર કપાયો છે વસઈ ગામથી બેડ ગામ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા પાણી ગામમાં ભરાયા છે લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાતાં હાલમાં લોકો પાણી ઉલેચવા મજબૂર બન્યા છે. ૮૦૦૦ ની વસ્તી ધરવતા બેડ ગામના પુલ પર પાણી ફરી વળવાના કારણે આજુબાજુ ગામના લોકો અવર જવર કરી શકતા નથી. તેમજ બેડ ગામ બેટમાં ફેરવાતા વરસાદનું પાણી લોકોનાં ઘરમાં ઘુસી ગયું હતું. સાથે-સાથે વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોનું પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

(8:11 pm IST)