Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કોટડાસોગાણીના નાના માંડવા ગામે અનીલ સાહેલીયાનો ગળાફાંસો ખાઇ આપધાત

યુવાન પુત્રના આપઘાતથી દલીત પરિવારમાં કલ્પાંતઃ આપઘાતના કારણ અંગે તપાસ

કોટડાસાંગાણી, તા.૨૧: કોટડાસાંગાણી ના નાના માંડવા ગામ ના દલીત યુવકે ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લેતા પરીવાર મા કલ્પાંત સર્જાયો છે.

નાના માંડવા ગામ ની નદીના સામે ના કાંઠે રહેતા અને મજુરી કામ કરતા અનીલ ગોરાભાઈ સાહેલીયા (ઉંમર વર્ષ ૨૧) નામના દલિત યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના દ્યરે છત ના હુક મા દોરી વડે ગળેફાંસો ખાઈ આપદ્યાત કરી લેતા પરીવાર મા કલ્પાંત સર્જાયો છે દ્યટનાની જાણ કોટડાસાંગાણી પોલીસ ને કરાતા ઈન્ચાર્જ પી એસ આઈ આર એલ ગોહિલ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસીંહ રાણા સહિતના સ્ટાફ દ્યટના સ્થળે પહોંચી જરુરી કાર્યવાહી કરી યુવક ની બોડી ને પી એમ અર્થે કોટડાસાંગાણી સીવીલ હોસ્પિટલે ખસેડવામા આવી હતી. ગળફાંસો ખાઈ આપદ્યાત કરનાર યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુવાન પુત્ર એ આત્મહત્યા કરી લેતા પરીવાર મા શોક નુ મોજુ ફરી વળ્યુ છે. વધુ તપાસ હેડકો. ગઢવીભાઇ ચલાવી રહ્યા છે.

(11:24 am IST)