Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સાવરકુંડલા ખાતે રામ નવમીની શોભાયાત્રાનું મુસ્‍લીમ સમાજ દ્વારા સન્‍માન

 સાવરકુંડલાઃ  રામ નવમી મહોત્‍સવ સમિતિ દ્વારા શહેરમાં  શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી  શોભા યાત્રાનું મુસ્‍લિમ સમાજે ઠેર ઠેર ફૂલ હાર અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવતા એકતાના દર્શન થયેલ હતા.  મુખ્‍ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મર, સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા. માજી ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત,  અમરેલી જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસૂરિયા, જીવનભાઈ વેકરિયા કનુભાઈ ડોડીયા, હસુભાઈ સૂચક પ્રવીણભાઈ સાવજ, હિતેશભાઈ સરૈયા  વિગેરે આગેવાનો નું સુન્ની મુસ્‍લિમ જમાત ઉપપ્રમુખ ઈકબાલ ગોરી, સુન્ની મુસ્‍લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી, સુન્ની મુસ્‍લિમ જમાત ના સેક્રેટરી જુબેરભાઈ મામદાણી સંધિ જમાત ના પૂર્વ પ્રમુખ અલીભાઈ જાખરા વિગેરે આગેવાનો એ ફૂલ હારથી સન્‍માન કરી  શુભેચ્‍છા ઓ પાઠવામાં આવેલ હતી. આઝાદચોક, નવલીનદી પોલીસ ચોક્કી સંધિ ચોક વિગેરે વિસ્‍તારમાં દર વર્ષની પરંપરા મુજબ શોભાયાત્રા નું સન્‍માન કરવા માં આવેલ હતું. આ શોભાયાત્રામાં  સીટી પી આઈ પરમાર . પી એસ આઈ સોસા.વિગેરે બંદોબસ્‍ત ગોઠવી આપેલ હતો

(1:39 pm IST)