Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જામકંડોરણામાં રામ નવમીના પાવન પર્વે ભવ્‍ય શોભાયાત્રા

જામકંડોરણાઃ વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગદળ દવારા રામ નવમીના પાવન પર્વે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું આ શોભાયાત્રાનું રામ મંદિરે મહા આરતી કરી મંદિરના પૂજારી શ્રી ગીરીશભાઈ અગ્રાવત દંપતિના હસ્‍તે પ્રભુશ્રી રામની પ્રતિમાંનું રથમાં સ્‍થાપન કરી ત્‍યારબાદ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ડી.જે.ના સુરો સાથે આ શોભાયાત્રા રામ મંદિરેથી શરૂ થઈ, પટેલ ચોક, મેઈન બજાર,પાવતી કુવા, અન્નપૂર્ણા માતાજી મંદિર, ભાદરા નાકા, બસ સ્‍ટેશન, નગર નાકા થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું શોભાયાત્રા દરમ્‍યાન રસ્‍તામાં વિવિધ સ્‍થળોએ સેવાભાવીઓ દવારા સરબત, ઠંડા પીણાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા.(તસવીર- અહેવાલ મનસુખ બાલધા, જામકંડોરણા)(

(12:08 pm IST)