Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ગોંડલના મોવીયા પાસે શનિધામના તૃતીય પાટોત્‍સવ નિમિતે ભાગવત સપ્તાહ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૮:  ગોંડલના મોવીયા શ્રીનાથગઢ રોડ પર આવેલા પ્રસિધ્‍ધ શનિધામ મંદીરના તૃતીય પાટોત્‍સવ નીમીતે આજ તા. ૧૭ બુધવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની રાત્રી કથાની શરૂઆત થઇ છે. કથાનો સમય રાત્રીના સાડા આઠથી સાડા અગીયારનો છે. વ્‍યાસપીઠ પર શાષાી જયસુખભાઇ પંડયા (શ્રીનાથગઢ) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહયા છે. શનીદેવ પાટોત્‍સવ તથા શનીયજ્ઞ તા.ર૦ શનીવારના યોજાશે. ભાગવત સપ્તાહનો કથા વિરામ તા.ર૩ મંગળવારના થનાર છે.

(11:39 am IST)