Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ત્રણ વિષયમાં નાપાસ થતાં કાલાવડની કોલેજીયન યુવતિએ ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૩૧: તાજેતરમાં ધોરણ-૧૦માં ઓછા ટકા આવતાં રાજકોટમાં એક છાત્રાએ આપઘાત કરી લીધો હતો. ત્યાં કાલાવડમાં રહેતી અને કોલેજમાં ભણતી યુવતિ પરિક્ષામાં ત્રણ વિષયમાં નાપાસ થતાં ફિનાઇલ પી લેતાં સારવાર લેવી પડી હતી.

કાલાવડ શિતલા પંડ્યા શેરીમાં રહેતી નિધીબેન તરૂણભાઇ ઠક્કર (ઉ.૧૯)એ સાંજે આઠેક વાગ્યે ફિનાઇલ પી લેતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાલાવડ જાણ કરી હતી. નિધી એક ભાઇથી મોટી છે અને કપુરીયા કોલેજમાં બીજા વર્ષમાં ભણે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ કોલેજની પરિક્ષામાં ત્રણેક વિષયમાં નાપાસ થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું.

(11:58 am IST)