Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

બોટાદમાં માનવતાવાદી વ્યકિત હરિભાઇ શાહનું સન્માન

ભાવનગર, અબોલ પશુ-પક્ષીઓની સંપૂર્ણપણે મદદ અને સારવાર કરતા અને આવા અબોલ જીવોની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર માળનાથ ગ્રુપના હરિભાઇ શાહ જેઓ વર્ષોથી આ સેવા કાર્ય સાથે સંકળાયેલા છે. જેમના દ્વારા પક્ષીઓ માટેની ચણ હોય કે પછી પશુઓ માટેનો ઘાસચારો ઉપરાંત જંગલો અને કાચા મકાનો નષ્ટ થતા પક્ષીઓને રહેવા માટેના માળા તેમજ પાણીના કુંડા સહિતનીૅ અનેક પ્રવૃતિઓ માટે દાતાઓ પાસેથી સહયોગ મેળવી તેનું યોગ્ય વિતરણ કરી ઉમદા સેવા કાર્ય કરી માનવતાવાદી વ્યકિતનું બિરૂદ પ્રાપ્ત કર્યુ છે. ત્યારે આવા ઉમદા વ્યકિતનું બોટાદ ખાતે રાજય ઇલેકટ્રોનિક મીડિયા રેગ્યુલર ગ્રુપ દ્વારા પાઘડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

(11:46 am IST)