Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સાવરકુંડલામાં પિતા-પુત્ર વચ્ચે નજીવી બાબતે માથાકુટમાં પોસ્ટ કર્મચારી પ્રવિણ ઠાકરે આપઘાત કર્યાનુ ખુલ્યુ

તા. ૩૦ :.. સાવરકુંડલા પિતા-પુત્ર વચ્ચે નજીવી બાબતે વટસડ થતા પ્રવિણભાઇ ઠાકરે એસીડ પી આત્મહત્યા કર્યાનું બહાર આવવા પામેલ છે.

આ અંગે ના મળતા અહેવાલ કે સાવરકુંડલા પોસ્ટ ઓફીસમાં સર્વિસ કરતા પ્રવિણભાઇ શાંતિલાલ ઠાકર અને તેના પુત્ર વચ્ચે લગ્નમાં માણસોને નોતરવા બાબતે વટસડ થતા પ્રવિણભાઇ ઠાકરને સારૂ નહી લાગતાં એસીડ પીઇ જઇ આત્મ હત્યા કર્યાનું જાણવા મળેલ  છે. આ મૃત્યુ ના બનાવની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ ચલાવી રહ્યા છે.

સાવરકુંડલામાં ત્રણ દિવસ પહેલા પ્રવિણભાઇ શાંતિલાલ ઠાકર નામના વ્યકિત ગુમ થયેલ હતા જેની લાશ નેસડી રોડ પર હોય એવા સમાચાર આજે સાવરકુંડલાના ૧૦૮ યુવાન સમાજ સેવક હિતેષ સરૈયાને મળતા. તાત્કાલીક સ્થળ પર પહોંચી ને એમની દયનિય હાલતમાં મળી આવેલ દુર્ગંધ મારતી જીવાત થઇ ગયેલી કોહવાયેલી લાશ ને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે લઇ ગયેલ સ્થળ પર પી. આઇ. વસાવા તેમજ જીજ્ઞેશભાઇ અશોકભાઇ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નગરસેવક ભાવેશભાઇ હીંગુ તેમજ પ્રકાશભાઇ ગેડીયા પણ સ્થળ પર હાજર હતા જેઓ મદદરૂપ બન્યા હતાં.  (તસ્વીર : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:04 pm IST)