Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સોૈરાષ્ટ્રમાં વ્હોરા સમાજ બે દિવસ ૨૧માં ઇમામનો જન્મદિવસ ઉજવશે

 જસદણ તા ૩૦  : દુનિયાભરનાં દાઉદી વ્હોરા સમાજના ૨૧માં ઇમામ અબુ કાસીમ ઇમામુઝઝમામના ૯૧૭મા જન્મ દિવસની ઉજવણી કરાશે.

આ અંગે સોૈરાષ્ટ્રના વ્હોરા સમુદાય વસવાટ વાળા ગામે ગામ તડામાર તૈયારીઓ થઇ રહી છે, ખાસ કરીને વ્હોરા સમાજમાં રાત્રીનું ખાસ્સું મહત્વ હોવાથી રાજકોટ, જસદણ સહીત સોૈરાષ્ટ્રમાં આજે શનિવારે પોત પોતાના ગામોમાં મજલીશ, ન્યાઝ જેવાં કાર્યક્રમો કરી ઇમામુઝજમાંનને ગર્વભેર યાદ કર્યા હતા. કેટલાક ગામોમાં કાલે રવિવારે આ જન્મદિવસની ઉજવણી કરશે.

આ મહાન ઇમામના જન્મદિવસને લઇ સોૈરાષ્ટ્રના વ્હોરા બિરાદરો પોતપોતાનાં ગામોની મસ્જિદમાં જઇ ખુશાલી વ્યકત કરશે.

(12:00 pm IST)