Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દ્વારકાધીશ મંદિરમાં પ્રસાદના પ્રતિબંધથી પ૦૦ વેપારીઓ બેકારઃ પ્રાંત કચેરીએ આવેદન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૮ :.. દ્વારકાધીશ મંદિર પાસે પ્રસાદનું વિતરણ કરતા પાંચસો જેટલા વેપારીઓ લોકડાઉન બાદ છેલ્લા માસથી બેકાર બન્યા હોય અને રોજી-રોટીની મોટી સમસ્યા ઉભી થઇ હોય જેને લઇને વેપારી સંગઠન દ્વારા પ્રમુખ રાજુ દવે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયુ છે કે મંદિરમાં ભાવિકો શ્રધ્ધા સાથે દ્વારકાધીશજીને પ્રસાદ ધરાવવા અમારા પાસેથી લઇ જાય છે. પરંતુ તંત્ર દ્વારા પ્રસાદ અંદર જવા દેવાનો ન હોય જેથી ભાવિકોની શ્રધ્ધાને ઠેસ પહોંચે છે દુર દુરથી આવતા યાત્રીકોને પ્રસાદ ધરાવવા માટે પરવાનગી આપવામાં આવે તો યાત્રીકોની શ્રધ્ધા જળવાય રહે અને વેપારીભાઇઓને રોજી-રોટી મળી રહે તે જરૂરી છે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(11:58 am IST)