Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કેશોદના જલારામ ગૃપ દ્વારા જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી

કેશોદઃ જલારામ ગૃપ દ્વારા જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં કેશોદ શહેરના સમગ્ર ઝુંપડપટી વિસ્તારોમાં જરૂરયાતમંદ લોકોને બુંદી ગાઠીયાનું વિતરણ કરવામાં આવશે. રાત્રીના પંકજ રઘુવંશી ગૃપ દ્વારા શહીદોને શ્રદ્વાંજલી આપવા ધુન ભજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં કેશોદ શહેર તાલુકાભરની ધર્મ પ્રેમી જાહેર જનતાને પધારવા જલારામ મંદિર સમિતિ રમેશભાઇ રતનધારાની યાદીમાં જણાવાયું છે.(૨૩.૨)

(12:05 pm IST)