Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ખોરાણાથી ત્રંબા માવતરે રિસામણે આવેલી ભરવાડ પરિણીતા હેતલ ડાભીએ ઝેર પી જિંદગી ટૂંકાવી

પતિનો ત્રાસ હોવાનો માવતર પક્ષનો આક્ષેપઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ માસુમ પુત્ર મા વિહોણો થયો

રાજકોટ તા. ૨૮: રાજકોટના ખોરાણા ગામે સાસરૂ ધરાવતી અને બે મહિનાથી ત્રંબા માવતરે રિસામણે આવેલી ભરવાડ પરિણિતા હેતલબેન સંજય ડાભી (ઉ.૨૬)એ ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિ મારકુટ કરી ત્રાસ આપતો હોવાથી તેણી રિસામણે આવ્યાની અને ત્રાસને લીધે જ આપઘાત કર્યાનો આક્ષેપ માવતર પક્ષે કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છું.

હેતલબેન ડાભી ત્રણેક માસથી ત્રંબામાં વડાળી રોડ પર રહેતાં પિતા બટુકભાઇ ભલાભાઇ ગમારાને ત્યાં રિસામણે હતી. અહિ ગઇકાલે બપોરે તેણીએ ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સાંજે મોત નિપજ્યું હતું. આ બારામાં  આજીડેમ પોલીસને જાણ થતાં હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગ્વીજયસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

જો કે આપઘાત કરનારના પિતા બટુકભાઇ સહિતના માવતર પક્ષે દિકરી હેતલબેનને પતિ સંજય ડાભીનો ત્રાસ હોવાનો  આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. હેતલબેનના લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે જે મા વિહોણો થઇ ગયો છે. પતિ બે વર્ષથી ઝઘડા કરી હેરાન કરતો હોવાનો આક્ષેપ પણ થયો હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

 

(11:47 am IST)