Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પ્રભાસપાટણઃ સંસ્કૃત શિક્ષકો માટે સેમીનાર યોજાયો

પ્રભાસપાટણઃ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી-વેરાવળ દ્વારા ગિર સોમનાથ તથા જુગનાગઢ જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા તથા કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપકશ્રી / શિક્ષકશ્રીઓનો એક દિવસનો અધ્યયન-અધ્યાપન-વિકાસ અંગેનો સેમીનાર આયોજીત કરવામાં આવ્યો. આ સેમીનારમાં અધ્યક્ષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથી તરીકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ચેતનભાઇ ત્રિવેદી તેમજ વિશેષ મહેમાન તરીકે ગીર સોમનાથ જીલ્લાનાં શિક્ષણાધિકારી શ્રી કૈલા તેમજ જૂનાગઢ જીલ્લાનાં શિક્ષણાધિકારી શ્રી મકવાણા ઉપસ્થિત રહયા હતા. આ સેમીનારમાં ગિર સોમનાથ તથા જૂનાગઢની ઉચ્ચતર માધ્યમિક શાળા તથા કોલેજનાં અંદાજીત ૬૦ અધ્યાપકશ્રી શિક્ષકશ્રીઓએ ભાગ લીધેલ હતો. આ સેમીનારના સંયોજક તરીકે સંસ્કૃત કોલેજના આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડયા હતા તેમજ સેમીનારની આભાર વિધિ ડો. દશરથ જાદવ, કુલસચિવશ્રીએ કરી હતી. સેમીનાર યોજાયો તે તસ્વીર.

(9:38 am IST)