Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જામનગરમાં ફુલસ્ટોપ આયોજીત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.ર૬ :  ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેકસમાં આવેલ ફુલસ્ટોપ શો-રૂમની તરફથી પ્રજાસતાક પર્વ નિમિતે વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી  યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવાનો સમારોહ ભાગ્ય લક્ષ્મી ટ્રસ્ટના પ્રમુખ અને રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ  હતો. આ સ્પર્ધા બે વિભાગમાં યોજાઇ હતી. જેમાં ધો.૪ થી ૭ના વિભાગમાં વત્સલ દિપકભાઇ રાજાણી, હિતાંશી બ્રિજેશભાઇ ટાંક, તુષાર લલીતભાઇ મઘોડીયા, જયારે ધો.૮ થી ૧૦ના વિભાગમાં તૃપ્તિબા જગદીશભાઇગોહિલ, બંસી ભરતભાઇ વાદી, વૃષ્ટિ પી. બોઘાણી અનુક્રમે પ્રથમ ક્રમે વિજેતાથયેલા હતા.

આ ઇનામ વિતરણ સમારોહમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નોબતના તંત્રી પ્રદિપભાઇ માધવાણી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચાએ પ્રાસંગીક પ્રવચન કરી આયોજક નવીનભાઇ હીંડોચાએ વિજેતાઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા. આ સમારોહ સમસ્ત જૈન સમાજના પ્રમુખ નિલેશભાઇ ટોળીયા, ઉદ્યોગપતિ વજુભાઇ પાબારી, ઇન્દ્રપ્રસ્થા પ્રમુખ વી.કે.જાડેજા, વરિષ્ઠ પત્રકાર ગીરીશભાઇ ગણાત્રા, અકિલાના પત્રકાર મુકુંદરાય બદીયાણી, પત્રકાર રમેશભાઇ કનખરા, મંત્રીના પી.એ.પ્રવિણસિંહ જાડેજા, કિર્તીભાઇ હિંડોચા, રાજુભાઇ બકુલભાઇ, હિતેનભાઇ હિંડોચા, જયંતીભાઇ શાહ, રોયલ એન્કલેવ એન.આર.આઇ.ના પ્રમુખ ગગુભા બાપુ તથા પરેશભાઇ કનખરા, હરદેવસિંહ, પૃથ્વી ટ્રાવેલ્સ વાળા પથુભા, બકુલભાઇ બકરાણીયા, રાજનભાઇ હિંડોચા, રાજેન્દ્ર રાય વાડેર, મુન્નાભાઇ પરમાર, શાહભાઇ, મહીપતસિંહ જાડેજા, રવિભાઇ જોષી, મીનાબેન દાસાણી, જયશ્રીબેન, શ્રેયાબેન, રીયાંશીબેન હિંડોચા, સરોજબેન વગેરે તથા સ્કુલના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર સમારોહનું સંચાલન નોબતના પત્રકાર પી.ડી. ત્રિવેદી તથા રાજનભાઇ હિંડોચાએ કરેલ હતુ.

(1:03 pm IST)