Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઉના : સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ઉના : પ્રભાસ શૈક્ષણિક સંકુલ તથા સંજીવની હોસ્પિટલ તેમજ મહેતા હોસ્પિટલ અને સીએચસી સમીટના સંયુકત ઉપક્રમે યોજાયેેલ સર્વરોગ નિદાન કેમ્પનો ૧૨૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સંજીવની હોસ્પિટલ તરફથી સંસ્થાપક શ્રી કાતરીયા, ડો.કલસરીયા એમડી, ડો.અરવિંદ કાતરીયા સ્ત્રીરોગ નિષ્ણાંત, તેમજ ડો.ચેતનાબેન કલસરીયા (ઓર્થો) તેમજ મહેતા હોસ્પીટલના ડો.ચારણીયા (ઓર્થો) તેમજ ડો.દાસ (આંખ સ્પેશ્યાલીસ્ટ) તેમજ સીએચસી સીમરથી ડો.નિમાવત (બાળરોગ નિષ્ણાંત), ડો.બાબા સાહેબ તેમજ મહેતા હોસ્પિટ સીમરની ટીમને મળીને જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો. શ્રી પ્રભાસ સંકુલના ટ્રસ્ટી સંદિપસિંહ, ચેતનસિંહ, અનોપસિંહ, દિલીપભાઇ તેમજ વિક્રમભાઇ, ચેતનભાઇ, હરેશભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. દર્દીઓનું નિદાન કરાયુ તે તસ્વીર.

(11:39 am IST)