Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કોઠી ગામમાં પૂ. દાનબાપુનું મંદિર નિર્માણ પામશે : ખાતુમુહૂર્ત કરાયુ

રાજકોટ, તા. રપ :  સૌરાષ્‍ટ્રની જગપ્રસિદ્ધ દેહાણ જગ્‍યાઓ, સતાધાર આપાગીગા, પાળીયાદ વિસામણ બાપુ બંને જગ્‍યાનું ગુરૂસ્‍થાન એવા સંત શ્રી દાનબાપુના જન્‍મસ્‍થાન એવા કોઠી ગામ ખાતે પૂ. દાનબાપુના મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે. ચલાલાના ઠાકરના આશીર્વાદ, ખેતલા દાદા, ચેતનદાસ બાપુના આશીર્વાદ મળ્‍યા હતા.

આ પાવન પ્રસંગે, કોઠી ગામના સમગ્ર ગ્રામજનો, કોઠી ગામના ખાચર ગભરૂભાઇ, ખાચર, હરેશભાઇ, ચેતનદાસ બાપુ પરિવાર, સરપંચ તેમજ આણંદપુર ગામના લેખક અને કવિ દિલીપભાઇ ખાચર હાજર રહ્યા હતાં. 

(1:28 pm IST)