Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત મહુવાના આધેડનું મૃત્યુ : મૃતકને અન્ય બીમારી પણ હતી

ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે,મહુવાના વાડી વિસ્તારમાં રહેતા મજીદભાઈ સલામભાઇ મોખરે ( ઉ,વ, 55 ) નો ગત 14મીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,તેઓનું સારવાર દરમિયાન મોત નિપજહ્યું છે દર્દીને અન્ય બીમારી પણ હતી,નવી ગાઇડલાઇન મુજબ દર્દીનું મોત કોરોનાથી નહીં ગણવામાં આવે,

ભાવનગરમાં કોરોનાથી 13ના મોત થયા છે અત્યારસુધીમાં કુલ 214 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 151 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(8:04 pm IST)