Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જામનગરમાં કોરોના મહામારીમાં ઉકાળાનું વિતરણ

 જામનગરઃ એમજે પાર્ક સોસાયટી ખાતે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમા રાખીને રોગ પ્રતિકારક શકિત વધે તે માટે આયુર્વેદિક કીટથી બનાવેલ ઉકાળો સમગ્ર સોસાયટીના રહેવાસીઓને ઉકાળો વિતરણ લોકડાઉન તથા સોશ્યલ ડિસટન્સ રાખીને કરવામાં આવેલ જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ આ વિતરણ કાર્યોમાં મેયર હસમુખભાઇ જેઠવા, કોર્પોરેટર કેતનભાઇ નાખવા, મનિષભાઇ કટારિયા સોસાયટીના પ્રમુખ હરેશ નંદા પી.ટી.ચંદ્રા જીતુભાઇ નંદા રાજેશ લખીયર હરિશભાઇ મંગી વગેરે હાજર રહ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(

(12:44 pm IST)