Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ધોરાજી-જામકંડોરણાઃ ખેડૂતોના પરિવારને સહાય ચેક અર્પણ

 ધોરાજીઃ જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે તાજેતર કમોસમી વરસાદ પડતા અને ખેતરે કામ કરતા હતા તે દરમ્યાન ખેડૂત ગીરીશભાઇ પુનાભાઇ ખુટ ઉ.વ.૪૫નુ કરૂણ મોત થયેલ અને આ અંગે રાજય સરકાર દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ બોરીયા ગામે જઇ મરણ જનાર ગીરીશભાઇના પરિવાર જનોને સાત્વના આપેલ અને સરકાર વતી સહાયનો ચેક અર્પણ કરેલ હતો આ તકે જયેશભાઇ સાથે ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા વિઠ્ઠલભાઇ બોદર, મામલતદાર શ્રી ખરાડી અને ટી.ડી.ઓ મંડળીના પ્રમુખ ચંદુભાઇ લુણાગરીયા સરપંચ મનીશભાઇ પરમાર અને સામાજીક અગ્રણી ગોગનભાઇ સાવલીયા હાજર રહેલ અને રાજય સરકારની સેવાઓને બીરદાવી હતી. સહાય ચેક અર્પણ કરવામા આવેલ તે તસ્વીર.

(11:55 am IST)