Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગીર સોમનાથ જિલ્લામાંથી શ્રમિકો વતન જવા રવાનાઃ

પ્રભાસ પાટણઃ સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ ગીર સોમનાથ જિલ્લામા ફસાયેલા પરપ્રાંતિઓ અને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલ ઉત્ત્।રપ્રદેશના ૩૫૭ શ્રમિકોને બસ દ્રારા જૂનાગઢ રેલ્વે સ્ટેશન અને ત્યાં થી તેમને રેલ્વે દ્રારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. છત્ત્।ીસગઢના ૪૮ શ્રમિકો, રામેશ્રર ૩૯, ઝારખંડ ૫૫, નેપાળ-૪૭ અને ઉના થી ઝારખંડના ૭૦ શ્રમિકોને સ્લીપીંગ બસો દ્વારા તેમના વતન રવાના કરાયા છે.તમામ શ્રમિકોની આરોગ્ય શાખાની ટીમ દ્રારા આરોગ્યની ચકાસણી, સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકો માટે પીવાના પાણીની, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદારશ્રી ચાંદેગરા અને એઆરટીઓ કારેલીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ.પ્રભાસ પાટણ)

(11:55 am IST)