Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજુલામાં પત્રકાર ઇરફાન ગોરીના આંગણે સંતોની પધરામણીઃ ભવ્ય સ્વાગત

સાવરકુંડલાઃ રાજુલા ખાતેના પત્રકાર અને અમરેલી જીલ્લા અખીલ ગુજરાત સિપાઇ સમાજના પ્રમુખ ઇરફાન ગોરીના આંગણે અઠવાડીયામાં બીજી વખત સંતોની પધરામણી થવા પામી છે. ગત ૧ર જાન્યુઆરીના રોજ બગદાણા ગુરૂ આશ્રમના મહંત પૂજય મનજીબાપા માનવ મંદિર સાવરકુંડલાના મહંત પૂજય ભકિતરામ બાપુ-સાવરકુંડલા કાના તળાવ ગૌશાળા-આશ્રમના પૂજય ઉષામૈયા તેમજ ગત તા.૧૯ જાન્યુઆરીના રોજ સતાધાર આપા ગીગા જગ્યાના મહંત પૂજય વિજયબાપુ (ઉપપ્રમુખ-ગુજરાત સાધુ સમાજ) ચલાલા દાન મહારાજ જગ્યાના મહાવીર બાપુ, પ્રતાપ બાપુ-ભામાબાપુ-જેરામ બાપુ ખોડીયાર મંદિર નેસડીના મહંત લવજીબાપુ ધારી હીંગળાજ મંદીરના બાપુ ગીરીબાપુ મોટાભાઇ સંવટ, દાઉદભાઇ લલીયા, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, ખાખબાઇ બલાડદેવ માતાજીના પૂજય રાજરાજેશ્વરી માતાજી, ઇનુસભાઇ લલીયા, સાગરભાઇ સરવૈયા, કાળુ બાપુ સૈયદ, મનીષભાઇ વાળા, પ્રવિણભાઇ વાઘેલા સહીત સંતો અને અગ્રણીઓએ હાજરી આપી હતી તે પ્રસંગની તસ્વીરો. (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:04 pm IST)