Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાલાવડના કૃષ્ણપુર (દુધાળા) ખાતે રાજ્યમંત્રી જાડેજાના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરાયો

જામનગર, તા.૨૨:કાલાવડ તાલુકાના કૃષ્ણપુર (દુધાળા) મુકામે વેફર બેસ્ટ સોશિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે રામ મંદિર, શિવ મંદિર તથા રાધાકૃષ્ણ મંદિરના નિર્માણ અર્થ શિલાન્યાસ વિધિ અને વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે રાજયમંત્રીશ્રીના હસ્તે મંદિરની શિલાન્યાસ વિધિ કરાઇ હતી તેમજ રાજયમંત્રીએ વડીલોની વંદના કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઈ પટેલ, ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મુછડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મેદ્યજીભાઈ ચાવડા, રમેશભાઈ પટેલ, પરેશભાઈ દોમડીયા, દેવદાનભાઈ જારીયા અને અન્યઙ્ગ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)