Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

જસદણના મામલતદારની સાયકલ યાત્રા

જસદણ : મામલતદાર આઇ.જી.ઝાલા ૧૫ થી ૨૦ સાયકલ યાત્રીઓ સાથે સાયકલ પ્રવાસ યોજેલ જેમાં લોકોને જાગૃતિ માટે બેટી બચાવો, બેટી પઢાવો તથા બે ટીપા પીવડાવવા માટે સમજણ આપેલ અને આ સાયકલ ઘેલા સોમનાથથી જસદણ સુધી યોજેલ જેમાં વચ્ચે આવતા દરેક ગામના પોલીયોના બુથની મુલાકાત કરી લોકોને જાગૃત કરેલ અને રેલી જસદણ ચિતલીયા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઇની પ્રતિમાને ફુલહાર કરી પુર્ણ કરેલ.જસદણથી મામલતદાર આઇ.જી.ઝાલાના માર્ગદર્શન નીચે જસદણથી હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ્યની મુલાકાત લીધી અને સાયકલ પ્રવાસ કુદરતના સાનિધ્યમાં ઘેલા સોમનાથ દાદાના દર્શને પધારેલ. આ તકે આ સાયકલ યાત્રીઓ ૧૫ થી ૨૦ યાત્રીકોનુ સન્માન મામલતદાર આઇ.જી.ઝાલાએ ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરેલ. ઘેલા સોમનાથ દાદાના દર્શન કરી યાત્રીકોએ ધન્યતા અનુભવી હતી. આ તકે મંદિર ટ્રસ્ટ વતી મામલતદારનું સન્માન મનુભાઇ શીલુએ કરેલ તે તસ્વીર.

(11:33 am IST)