Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શાપર(વે)માં માનસિક બિમારીથી કંટાળી ભનુભાઇ જાદવનો ફાંસો ખાઇ આપઘાત

પુત્ર બીજા રૂમમાંથી જાગીને આવ્યો ત્યાં પિતા લટકતા દેખાયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળમાં શાંતિધામ-૨માં રહેતાં ભનુભાઇ મનસુખભાઇ જાદવ (ઉ.વ.૪૦) નામના વણકર યુવાને સાંજે રૂમમાં લોખંડની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ભનુભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તે અગાઉ કારખાનામાં મજૂરી કરતાં હતાં. પરંતુ હાલમાં બે-અઢી વર્ષથી માનસિક બિમારી લાગુ પડી હોઇ તેની સારવાર ચાલુ હોવાથી કામે જતાં નહોતાં. પુત્ર જનકભાઇના કહેવા મુજબ સાંજે ચારેક વાગ્યે પોતે બીજા રૂમમાં સુતા હતાં, જાગીને પિતાના રૂમમાં જતાં તે લટકતા દેખાતા નીચે ઉતારી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:24 am IST)