Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જામનગર હાઇ-વે ઉપર રોડ ક્રોસ કરતા રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: મેઘપર પોલીસ સ્‍ટેશનમાં મહમદ મુખ્‍તારઅલી ચંપા અલી અંસારી, ઉ.વ.૬૦, રે. દાદા કા છપરા ગામ, જિ.બલીયા, રાજય ઉતરપ્રદેશવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-પ-ર૦રરના ખાવડી લોડ્‍સ હોટલની સામે ખંભાળીયા, જામનગર હાઈવે રોડ ઉપર આરોપી મારૂતિ સ્‍વિફટ ગાડી નં. જી.જે.૧૦-બી.આર.-પ૯૯૮ ની પુરઝડપે બેફીકરાઈ ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી મહમદ મુખ્‍તારઅલી ચંપાઅલી અંસારીના મીત્ર રાજેન્‍દ્રસિંગ જે રોડ ક્રોસ કરતા હોય તેઓને ઠોકર મારી શરીરે ગંભીર અકસ્‍માત ઈજા કરી મોત નિપજાવી ફોરવ્‍હીલ કાર સાથે નાશી જઈ ગુનો કરેલ છે.

રાધાકૃષ્‍ણપાર્કમાં જુગાર રમતા ચાર ઝડપાયા : બે ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હરદીપભાઈ ભરતભાઈ ધાંધલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-પ-ર૦રરના રાધાકૃષ્‍ણ પાર્ક, વાછરાડાડાના મંદિરવાળુ મકાન, રાજપાર્ક પાછળ, જામનગરમાં આરોપીઓ અજયરાજસિંહ સુરેન્‍દ્રસિંહ સોલંકી એ પોતાના ઘરે બારથી અન્‍ય આરોપીઓ નરશીગર જેઠીગર ગોસાઈ, ધર્મેન્‍દ્રલાલ મોહનલાલ કુંડલીયા, નિલેશભાઈ વલ્લભભાઈ પઢીયાર ને બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા ૩૯,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બશીરભાઈ ઉર્ફે બલો રહીમભાઈ મેતર, લાલસુર ઉર્ફે લાલો હિરાભાઈ ઘોડા, રે. મોડપર ગામવાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાંધેલ ઢોર છોડવાની

ના પાડતા માર માર્યો

શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં આંબાભાઈ સવજીભાઈ ભંભાણા, ઉ.વ.પપ, રે. જુની આંબરડી સીમ વિસ્‍તાર, તા.જામજોધપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-પ-ર૦રરના જુની આંબરડી ગામે ફરીયાદી આંબાભાઈએ પોતાના ઢોર ખરાબામાં બાંધેલ હોય આરોપીઓ મયુરભાઈ દુદાભાઈ ભંભાણા, દિપકભાઈ દુદાભાઈ ભંભાણા, મંજુબેન દુદાભાઈ ભંભાણા, રે. જુની આંબરડી ગામવાળા એ ઢોર છોડી લેવાનું કહેતા ફરીયાદી આંબાભાઈએ ના પાડતા આરોપીઓએ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી આંબાભાઈને જમણા હાથ પગમાં ધોકા વડે ફેકચરની ઈજા કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બિમારી સબબ આઘેડનું મોત

અહીં શરૂસેકશન રોડ, મંગલમ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૪, જામનગરમાં રહેતા યોગેન્‍દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, ઉ.વ.૪૦ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯-પ-ર૦રરના આ કામે મરણજનાર રણજીતસિંહ ટપુભા જાડેજા, ઉ.વ.૭૦, રે. શરૂસેકશન રોડ, મંગલમ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૪, જામનગરવાળાને પોતાના ઘરે શ્‍વાસ લેવાની તકલીફ થતા લોહીની ઉલ્‍ટીઓ થતા સારવારમાં લાવતા ડોકટર સાહેબે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(1:41 pm IST)