Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પોરબંદર દરિયામાં લો પ્રેશર અસરની સંભાવનાઃ માછીમારોને ચેતવણી

પોરબંદર, તા. ૧૯ :. વાપી અને વલસાડ દરિયામાં વાતાવરણમાં પલ્ટા સાથે પોરબંદરના અરબી સમુદ્રમાં લો-પ્રેશર અને દરિયો તોફાની બને તેવી સંભાવના હોય માછીમારોને એલર્ટ રહેવા સ્થાનિક હવામાન કચેરીથી ચેતવણી આપવામાં આવી છે.

પોરબંદર અરબી સમુદ્રના વાયવ્ય દક્ષિણ દિશાએ વાદળો છવાતા વાતાવરણમાં પલ્ટો આવેલ છે અને દરિયામાં લો પ્રેશરની સંભાવના ઉભી થઈ છે.

(11:54 am IST)