Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં જન્‍માષ્‍ટમી નિમિતે રાત્રે ભવ્‍ય રાસ-ગરબાનું આયોજન

વાંકાનેર તા. ૧૮ :.. જગ વિખ્‍યાત શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામ ખાતે શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજીત જન્‍માષ્‍ટમીના પાવન પુણ્‍યશાળી દિવ્‍ય અવસરે તા. ૧૯ ઓગસ્‍ટના રોજ સવારે ૭.૩૦ કલાકે મટકી ફોડ, કેક કટીંગ, ડી. જેના તાલે યુવાનો થનગનાટ કરશે. ભવ્‍યતાથી ભવ્‍ય મટકી ફોડ કાર્યક્રમ ડીજેના તાલે યોજાશે. તેમજ વિશેષમાં રાત્રે ભવ્‍ય રાસ ગરબાનું આયોજન રાત્રે ૯ કલાકેથી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ કલાકાર શ્રી જિજ્ઞેશ બારોટ (કવિરાજ) શ્રી વિવેક સાંચલા તથા સંગીતની ટીમ સાથે દાદાના દરબારમાં રાસ-ગરબાની રંગત જમાવશે તેમજ જન્‍માષ્‍ટમીના દાદાને વિશેષ અનોખા શણગાર દર્શન, અન્નકોટ દર્શન, મહાસંધ્‍યા આરતી જેવા કાર્યક્રમો થશે જે આયોજક શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી, કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા સર્વ હરી ભકતોને લાભ લેવા જણાવાયું છે જે પૂજારી સ્‍વામીશ્રી ડી. કે. સ્‍વામીની યાદીમાં જણાવેલ છે.

(1:13 pm IST)