Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ખંભાળિયા પાસે એસ.ટી. બસ પલ્‍ટી જતા પની સ્‍થિતિ નાજુક બસનાં ડ્રાઇવરની બેદરકારીથી અકસ્‍માત સર્જાયોઃ મુસાફરો

ખંભાળિયા તા. ૧૭: ભાણવડ રોડ પાટીયા પાસે ગંગાજમના હોટલ પાસેના એક બેઠા પુલીયા પરથી સલાયા-જુનાગઢ એસ.ટી. બસ સવારે ૭ાા વાગ્‍યે પુલ પરથી પડી જતા તેમાં બેઠેલા ૩૫ મુસાફરોને ઇજા સાથે ખંભાળિયા અને ત્‍યાંથી જામનગર ખસેડાયા હતા.

વહેલી સવારે બસમાં સુતેલા મુસાફોર માં ઓચિંતા ધડાકા સાથે બસ ઉંધી વળી જતાં ચીસોચીંસ મચી ગઇ હતી તથા વાહનોમાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ૩૫ માંથી રપને જામનગર ખસેડાયા હતા. જેમાં પાંચની સ્‍થિતિ નાજુક હતી.

સરકારી હોસ્‍પિટલ ૪ર કરોડનાં ખર્ચે બની અદ્યતન સાધનો છે પણ ઇમરજન્‍સીમાં કોઇ તબીબ જ નથી હોતા. આ અકસ્‍માતમાં હાડકા ભાંગી ગયેલા દર્દીઓ માટે કોઇ વ્‍યવસ્‍થા ના હોય તમામ જામનગર ખસેડાયા હતા તાજેતરમાં ઓર્થો સર્જન નિમાયા હતા પણ બે દિવસ પહેલા જ તેઓ રાજીનામુ આપી ચાલ્‍યા ગયા હતાં.

બનાવની જાણ થતાં ખંભાળીયા પો. ઇ. અરવિંદસિંહ જાડેજા પોલીસ પાર્ટી સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા તથા ઘાયલોને હોસ્‍પિટલમાં પહોંચાડવા વ્‍યવસ્‍થા કરી હતી.

એસ. ટી. ડેપો મેનેજરશ્રી કે. કે. કાચા તથા અધિકારીઓ પણ ઘટના સ્‍થળે તથા હોસ્‍પિટલે પહોંચયા હતાં. એસ. ટી. ચાલકની બેદરકારીથી અકસ્‍માત થયાનું બસના મુસાફરોએ જણાવ્‍યું હતું.

અકસ્‍માતમાં અબ્‍દુલ ઉ.વ.૩૦ રહે. સલાયા, અજીજ હુસેન ઉ.૪૦ રહે. સલાયા જીતેન્‍દ્ર હરીલાલ ૪પ ખંભાળીયા, શબીદા બેન ગનીભાઇ ઉ.૧ર, સંઘાર ગનીભાઇ ઉ.૪૦ રહે. સલાયા, ઝરીના મામદ ઉ.ર૮ રહે. સલાયા, નવાજ રજાક ઉ.વ.૧૯ રહે. સલાયા, મુમતાજ સતાર ઉ.૩પ, રહે. સલાયા, જમીલાબેન રજાકભાઇ ઉ.વ.૩૦ રહે. સલાયા, શહેનાજ બીલાલ ઉ.૮, રઝીયા સલીમભાઇ ઉ.ર૦, મોટીયાણી અનમબેન ઉ.૧૧, હાલનાજ સલીમ ઉ.રપ, જાહીદા અકબરભાઇ રપ, મેટુમા હુસેનશા ઉ.૪પ, ફરીદા મબુકશા, શકીલ જુમા ઉ.૧૦, નસીબેન ઇકબાલ, રીયાજ, સલમાનભાઇ, અનમ બસીર, મામદ કરીમ, વિજય છગનભાઇ, રોશન મામદભાઇ, નસીરાબેન હાજીભાઇ સલમા સુલેમાન, અયમ બશીરભાઇ વિ. ૩પને ઇજાઓ થઇ હતી.

(1:22 pm IST)