Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે પૂનમબેન માડમ દ્વારા જામનગરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ - રકતદાન શિબીર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૨માં જન્મદિવસ નિમિતે જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદથી પૂનમબેન માડમ દ્વારા આયોજિત સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન શિબિરનું આયોજન કરાયુ છે.

મેગા સર્વરોગ નિદાન કેમ્પ તા.૧૭ અને ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨ સવારે ૧૦ થી બપોરે ૧, બપોરે ૨ થી ૫ કલાકે, તથા રકતદાન શિબિર તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ સમય સવારે ૧૦ થી સાંજે ૫,  હરિયા કોલેજ, ગોકુલનગર, જકાતનાકાતા આગળ જામનગર ખાતે યોજાયો છે.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોકટરશ્રીઓ દ્વારા રોગનુ નિદાન કરી જરૃરી દવાઓ પુરી પાડવામાં આવશે. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર જનતાને તેમજ રકતદાન કરવા પધારવા આમંત્રણ પાઠવાયુ છે.

(1:17 pm IST)