Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જસદણની પ્રજાને માથે હવે સોનાનો સૂરજ ઉગશેઃ નગરસેવકોમાં સમાધાન

જસદણ ભાજપ શાસિત નગરપાલિકામાં બોર્ડ રચાયું ત્યારથી બાખડતાં આવતા નગરસેવકોમાં આખરે સમાધાન થતા ઘીના ઠામમા ઘી પડયું છે. પાલિકામાં ૨૮ સભ્યોમાંથી ૨૩ સભ્યો ભાજપના ચૂંટાયા હતા. બોર્ડ શરૂ થયું ત્યારથી નગરસેવકો બુમબરાડા, કોૈભાંડ, ભ્રષ્ટાચાર અને લોકોના કામો થતાં ન હોય એવી ફરિયાદ, જમીન દબાણ, બિલોમાં ટકાવારી, નબળું બાંધકામ, ટ્રાફીક, ચોખ્ખુ પાણી, ટ્રાફીક ગટર જેવા અનેક પ્રશ્નોને લઇ હોબાળો મચાવતા. ડો. ભરતભાઇ બોઘરા અને પોપટભાઇ રાજપરાએ નગરસેવકોની એક મીટીંગ બોલાવી અને દરેક સભ્યને કડક સુચના સાથે પ્રજાકિય કાર્ય કરવા જણાવ્યું હતું. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(12:07 pm IST)