Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જામનગરની સહેલગાહે આવ્યા વિદેશી પક્ષીઓ

જામનગર : શહેરમાં આવેલ જાજરમાન રણમલતળાવમાં શિયાળાના આગમનના પગલે દેશ-વિદેશના પક્ષીઓનું આવા-ગમન શરૂ થયું છે. લડાણી ધોમડા, પોચાર્ડ, કુટ, સ્પોટબીલ કોમ ડંક સહિતના અનેક યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહયા છે. ગુજરાતનુ઼ આ એક માત્ર શહેરની મધ્યમાં આવેલ તળાવ હશે કે જયાં સતત ટ્રાફીક અને માનવ અવરજવર વચ્ચે પણ મોટી સંખ્યામાં દેશ-વિદેશના પક્ષીઓ મુકત અને સ્વૈરવિહાર કરી રહયા હોઇ.. આ તળાવમાં આશરે ૫૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓનો કાયમી વસવાટ રહેતો હોય છે તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર વિશ્વાસ ઠક્કર)

(1:36 pm IST)