Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભાવનગરમાં માનસિક બિમારીથી કંટાળીને મહિલાનો આપઘાત

ભાવનગર, તા. ૧૪ : ઘોઘા રોડ ગાયત્રીનગર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટી બ્લોક નં. ૩,માં રહેતા સુરેખાબેન ભુપતભાઇ ધોબી ઉ.વ.૪૦ એ તેના ઘરે જાતેથી કેરોસીન છાંટી કાંડી ચાંપી સળગી જઇ મોતને વહાલુ કરી લીધું હતું. બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનના હે.કો. જે.બી. નરેલા તપાસ ચલાવી રહ્યા છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું છે.

(11:58 am IST)