Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કુતિયાણાના યુવકની હત્યા કરીને જૂનાગઢમાં લાશ દાટી દીધી : સોનાના બિસ્કીટના ભાગ બટાઈમાં વાંધો પડતા ૬ શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધો

જૂનાગઢ : કુતિયાણાથી ગૂમ થયેલ યુવકની જૂનાગઢમાં હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. ગત તા.૬ ડિસે.ના રોજ મેણંદ નાથાભાઈ લુવા (ઉ.૨૪) નામનો યુવક લાપતા થયો હતો. જેની શોધખોળ આદરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન કરતાં આ યુવકની હત્યા થયાનું ખુલ્યુ છે. સોનાના બિસ્કીટમાં ભાગબટાઈમાં વાંધો પડતા ૫ થી ૬ શખ્સોએ આ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમના મૃતદેહને જૂનાગઢની કેન્દ્રીય વિદ્યાલય પાછળ ખાણમાં દાટી દીધો હોવાનું જાણવા મળ્યુ છે.

(4:23 pm IST)