Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૩: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રી પર્વની વિશિષ્ટતા સભર ઉજવણી અનુસંધાને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે બહેનો માટે આરતી ડેકોરેશન તેમજ ગરબા ડેકોરેશનની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં જુદીજુદી વય જુથના ૫૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના સમાપન સમારોહ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે ભારત વિકાસ પરિષદ મોરબીની સમગ્ર ટીમ દ્વારા બ્રિજેશભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મોરબી જીલ્લાના ડેપ્યુટી ડી. ડી. ઓ ઈલાબેન ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત વિકાસ પરિષદ મોરબીના સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીના પુત્ર વિસ્મયનો પણ જન્મદિવસ હોય તેના તરફથી તમામ સ્પર્ધકોને વિશીષ્ટ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા તો વિસ્મયનું સન્માન કરતાં માનનીય બ્રિજેશભાઈએ તેને નાની ઉંમરમાં વિરાટ પ્રતિભા કહી અને બિરદાવ્યો હતો. બંને સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ પ્રમાણપત્ર અને વિશિષ્ટ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે રાષ્ટ્રભકિત ગીતની એકલગીત સ્પર્ધાના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર માટે Q7 CERAMIC LLP, વિશાલ જવેલર્સ તથા સ્વ ભાઈલાલભાઈ વી. પરમાર પરિવાર દ્વારા અમૂલ્ય આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. તમામ નિર્ણાયકોને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કાજલબેન ત્રિવેદી, દર્શનાબેન પરમાર, દર્શનાબેન ભટ્ટ, અલ્પાબેન મારવણીયા, નિરાલીબેન મિયાત્રા, કોમલબેન પનારા, કુસુમબેન બોપલીયા, દેવાંશીબેન આડેસરા, તથા સંસ્થાના સક્રિય કાર્યકરો રવીન્દ્રભાઈ ત્રિવેદી, ડો જયેશભાઈ પનારા, અશ્વિનભાઈ રાઠોડ, દિલિપભાઈ પરમાર, મનહરભાઈ કુંડારીયા, ધૃમીલભાઈ આડેસરા, યોગેશભાઈ જોશી, હિંમતભાઈ મારવણીયા, નલિનભાઈ ભટ્ટ, પરેશભાઈ મિયાત્રા, વિનોદભાઈ મકવાણા કેયુરભાઈ પંડ્યા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિસ્મય ત્રિવેદીએ કર્યુ હતું.

(12:51 pm IST)