Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના પુત્ર જગદીશભાઇનું અવસાન થતાં પવિત્ર ત્રિવેણી નદીમાં અસ્થી વિસર્જન

વેરાવળ તા. ૭ : પુર્વ મુખ્યમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલના પુત્ર જગદીશભાઈ પટેલ જે વર્ષો સુધી રાજકોટમાં રહેલ હતા તે થોડા સમય પહેલા અમદાવાદ સ્થાયી થયેલ હતા. તેનું મૃત્યુ થયેલ હોય જેથી આજે કેશુભાઈ સહીત પરીવારજનો પવિત્ર ત્રીવેણીમાં તેમના અસ્થી વિસર્જન કરવા માટે આવેલ હતા. ભુદેવો દ્રારા તેમનું વિધી કરાવી તેમના અસ્થી વિસર્જન ત્રીવેણી નદી માં કરેલ હતા તેમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહેલ હતા.

(4:08 pm IST)