Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ઉનામાં હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોએ બંધ પાળ્યોઃ પ્રતિક ઉપવાસ કરી ધૂન બોલાવી

ઉના તા. ૭ :.. પાટીદાર સમાજનાં ૧પ૦ થી વધુ વેપારીઓએ પોતાના કામ ધંધા બંધ રાખી દુકાન બંધ કરી હાર્દિક પટેલ જે આમરણાંત ઉપવાસ ખેડૂતોના દેવા માફી ત્થા સર્વણ અનામતની માંગ કરી રહ્યા છે. ૧૩ માં દિવસે ઉનાના પાટીદારોએ આંદોલનને ટેકો જાહેર કરેલ હતો.

ઉન્નતનગર સોસાયટીમાં ખોડલધામ પટેલ આશ્રમમાં ઉના-ગીર ગઢડા તાલુકાનાં પાટીદાર સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી પ્રતિક ઉપવાસ કરી હાર્દિકની માંગને સમર્થન આપી. હાર્દિકની તબીયત સારી રહે તેવી ધુન-ભજન કર્યા હતાં. (પ-૧પ)

(12:29 pm IST)