Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

કાલાવડ-ધોરાજી હાઇવે પર અકસ્માત : પાંચના મોત થયા

ટ્રકની જોરદાર ટક્કરથી કારનો ભુક્કો બોલી ગયો : ઘાયલ થયેલા ત્રણ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ, તા. : જામનગમાં કાલાવડ-ધોરાજી હાઇવે પર ભાવુભાના ખીજડીયા ગામ પાસે આજે એક ઇકો કાર અને માંતેલા સાંઢની જેમ આવી રહેલી ટ્રક વચ્ચે ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાતાં પાંચ લોકોના ઘટનાસ્થળે રૂ મોત નીપજયા હતા. જયારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અક્સ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને તેના કારણે હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, અકસ્માતમાં એકસાથે પાંચ લોકોના મોતના સમાચાર જાણી સૌકોઇમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

             અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરમાં કાલાવડ-ધોરાજી હાઇવે પર ભાવુભાના ખીજડીયા ગામ પાસેથી આજે એક ઇકો કારમાં કેટલાક પ્રવાસીઓ જઇ રહ્યા હતા ત્યારે માંતેલા સાંઢની જેમ પૂરપાટઝડપે આવી રહેલી ટ્રક સાથે તેનો ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની જોરદાર ટક્કરના કારણે ઇકો કારનો ભુક્કો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા પ્રવાસીઓ પૈકી પાંચ વ્યકિતઓના તો ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે રૂ મોત નીપજયા હતા., જયારે અન્ય ત્રણને ગંભીર ઇજા પહોંચતાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અક્સ્માતને પગલે લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા તો, બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

(8:57 pm IST)