Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મીઠાપુર મહાવીર સોસાયટીમાં નવનિર્મિત સુર્યમુખી હનુમાનની મંદિરે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

મીઠાપુર તા.૬ : ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલ મહાવીર સોસા.માં નવનિર્મત શ્રી સુર્યમુખી હનુમાનજી, માં ભગવતી આશાપુરા માતાજી તથા ગંગેશ્વર મહાદેવ શિવ પરિવારની પ્રાણપ્રતિષ્ઠા આગામી ગીતા જયંતી તા. ૮ના રોજ કરાશે.

આ ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા તા.૬ના સવારે ૯ કલાકે મુર્તીની નગરયાત્રા સુર્યમુખી હનુમાનમંદિરેથી નીકળી હતી. તા. ૭ ને શનિવારે રામનામ કે હીરે મોતી ધૂનના રચયતા અને પ્રખ્યાત એવા અશોકભાઇ ભાયાણી દ્વારા રાત્રે ૧૦ કલાકે રામધૂનનુ આયોજન છે. ત્યારબાદ તા. ૮ ના રોજ વિધિવત પૂજારો કરી બપોરે મુર્તિઓની નિજ સ્થાને પ્રાણ પ્રતિષ્ઠા કરાશે ત્યારબાદ રાત્રે મહાપ્રસાદ લેવાયા બાદ કાર્યક્રમનું સમાપન થશે.

આ ૩ દિવસના ધાર્મિક આયોજનનો ભાગ બનવા તથા આ સોનેરી અવસરના સાક્ષી બની ધન્ય થવા માટે ધર્મપ્રેમી જનતાને સુર્યમુખી હનુમાનજી મીત્ર મંડળ દ્વારા જણાવાયુ છે.

આ અવસરનું શુભ સ્થળ વૃંદાવન ધામ, મહાવીર સોસાયટી, ટેલીફોન એક્ષ્ચેન્જ પાસે પાછળ આરંભડા ખાતે રહેશે.

(11:53 am IST)