Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાના બંગલે સંતોની પધરામણી

 જૂનાગઢઃ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાના ગિરનાર દરવાજા રોડ સ્થિત ગીરીરાજ વિલા બંગલા ખાતે સંતો એ પધરામણી કરી હતી. ઉપરોકત તસ્વીરમાં જુના અખાડાના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભરભારતીજી મહારાજ મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ અવધુત આશ્રમના પૂ. મહાદેવગીરીબાપુને હૃદયના ભાવથી આવકારતા ગીરીશભાઇ કોટેચા તેમજ સંતો સાથે ગિરીશભાઇ કોટેચા શ્રીમતી ગીતાબેન કોટેચા અને પુત્રવધુ ચાંદની બેન પાર્થભાઇ કોટેચા તેમજ ગીરીશભાઇને હૃદયથી આશિર્વાદ પાઠવતા પૂ. ભારતીબાપુ નજરે પડે છે. આ તકે સંતોએ અડધો કલાક રોકાણ કરી નાળીયેર પાણી પણ પીધા હતાં. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:43 am IST)