Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ધોરાજીના ભંડેર ગામે આધેડની હત્યાના ઘેરા પડઘા: પાટીદાર સમાજમાં રોષ બાદ પીએસઆઇની બદલી

કલેક્ટરને આપ્યું આવેદનપત્ર :હત્યારાની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

 

ધોરાજીના ભડેર ગામે એક માથાભારે શખ્શ દ્વારા એક આધેડની હત્યા બાદ હત્યાને લઇને પાટીદાર સમાજમાં રોષની લાગણી પ્રસરી છે.જેમાં પાટીદાર સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપ્યુ છે. સાથે જ્યાં સુધી હત્યારાની ધરપકડ થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે

 બીજી તરફ ભાડેરની મહિલાઓએ પાટણવાવના પીએસઆઇ વિરુદ્ધ આક્રોશ વ્યકત કરતા જિલ્લા પોલીસવડા અંતરિપ સુદે પીએસઆઇની બદલી કરી નાખી છે.

(11:27 pm IST)