Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

SGVP ગુરૂકુલ રીબડાની મુલાકાતે ગુજરાત સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો

રાજકોટ તા.૨૬.  શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત SGVP ગુરૂકુલ રીબડા (રાજકોટ) ની શુભેચ્છા મુલાકાતે ગુજરાત સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો પધાર્યા હતા.

૧)  શ્રી અર્જુનાચાર્ય,  - પ્રધાનાચાર્ય શ્રી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય, અમદાવાદ

૨) શ્રી બીપીનભાઇ જોષી  - સાંદીપનિ વિદ્યા નિકેતન, પોરબંદર.

૩) અજયભાઇ ભટ્ટ,   - મંત્રી શ્રી, શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા અમદાવાદ

૪) વિદ્યાનંદજી ચૌધરી  - પ્રાધ્યાપક શ્રી, શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ 

સંસ્કૃત જગતના મહાનુભાવો પધારતા ગુરૂકુલના સંચાલક શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ મહેમાનોનું વૈદિક ભારતીય પરંપરા પ્રમાણે  સ્વાગત કર્યુ હતું.

મહેમાનોએ ગુરૂકુલનું ધાર્મિક અને ખુશનુમા વાતાવરણ  અને બાળકોની સમુહ પ્રાર્થના નિહાળી અત્યંત ખુશી વ્યકત કરી હતી.

(1:41 pm IST)